ભગવાનબુદ્ધ સ્કોલરશીપ યોજના 2024 | Bhagwan Budhdh Scholarship Yojana : ગુજરાત સરકારે રાજ્યમાં મોટી સંખ્યામાં કન્યાઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સક્ષમ બનાવવાના હેતુથી એક પહેલ શરૂ કરી છે જેનું નામ છે ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના. આ કાર્યક્રમ દ્વારા છોકરીઓને તેમના શિક્ષણના સ્તરના આધારે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ બ્લોગ થકી આપણે જાણીશું કે ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના શું છે અને એના ફાયદા કયા કયા છે.
સૌપ્રથમ તો ભગવાનબુદ્ધ સ્કોલરશીપ યોજના વિશે આપણે જાણીશું. જે નીચે જણાવેલ છે.
ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના એ ધોરણ 10 પછી આગળ અભ્યાસ માટે અનુસૂચિત જાતિની છોકરીને શિષ્યવૃત્તિ આપતી યોજના છે. ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના એ અનુસૂચિત જાતિની છોકરીઓ કે જેઓ જ નોકરી કરતા માતા-પિતાના બે કરતાં વધારે બાળકો હોવાને કારણે અથવા કુટુંબની આવક વધુ હોવાના કારણે ધોરણ 10 પછી શિષ્યવૃત્તિ માટે પાત્ર નથી આવી છોકરીઓ પણ ધોરણ 10 પછીના અભ્યાસ માટે રાજ્ય સરકાર તરફથી શિષ્યવૃત્તિ મેળવી શકે છે ગુજરાતની તમામ મહિલા રહેવાસીઓ આ યોજના નો લાભ મેળવવા પાત્ર છે
ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના ના મહત્વપૂર્ણ મુદ્દાઓ
યોજના નું નામ | ભગવાન બુદ્ધ સ્કોલરશીપ |
વિભાગ | નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ |
લાભાર્થી | અનુસૂચિત જાતિ કન્યા વિદ્યાર્થીઓ |
મળવાપાત્ર સહાય | સ્કોલરશીપ સહાય |
સતાવાર વેબસાઇટ | https://sje.gujarat.gov.in |
હેલ્પલાઈન નંબર | 18002335500 |
ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના ના લાભો
- ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના માત્ર અનુસૂચિત જાતિની છોકરીઓ જ પાત્ર છે.
- ડિપ્લોમા સ્તરના અભ્યાસક્રમો માટે, ધોરણ: 10 અથવા 12માં પરીક્ષામાં 50% અથવા વધુ પર્સેન્ટાઈલ હોવા જોઈએ.
- સ્નાતક સ્તરના અભ્યાસક્રમો માટે, ધોરણ: 12માં પરીક્ષામાં 50% કે તેથી વધુ પર્સેન્ટાઈલ હોવા જોઈએ.
- ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માર્ગદર્શિકાની તમામ શરતો પૂર્ણ કરવી આવશ્યક છે.
- આવક મર્યાદા : 2.50 લાખથી વધુ
યોજના માટે જરૂરી દસ્તાવેજો
- ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, મતદાર આઈડી, કોલેજ આઈડી, વગેરે
- રહેઠાણનો પુરાવો: પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ વગેરે.
- આવકનો પુરાવો (આવક નો દાખલો)
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- બેંક વિગતો દા.ત. એકાઉન્ટ નંબર, IFSC, MICR કોડ
- અન્ય દસ્તાવેજોની જરૂર પડી શકે છે
- જાતિ નો દાખલો
ભગવાન બુદ્ધ સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ google chrome ઓપન કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજદારોએ સત્તાવાર વેબસાઇટ https://www.digitalgujarat.gov.in પર જવાનું રહેશે.
- નવા અરજદારોએ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
- રજીસ્ટ્રેશન સમયે, અરજદારોએ તેમનો મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
- ત્યારબાદ અપડેટ કરો.
- ત્યાર પછી ભગવાનબુદ્ધ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવી.
યોજના માટેની મહત્વપૂર્ણ લીંક
સતાવાર વેબસાઇટ | https://sje.gujarat.gov.in |
અરજી કરવા માટે ની વેબસાઇટ | https://www.digitalgujarat.gov.in/GSSP/ |
Helpline number | 18002335500 |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ભગવાન બુદ્ધ સ્કોલરશીપ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
1. ભગવાન બુદ્ધ સ્કોલરશીપ શું છે?
જવાબ : ભગવાન બુદ્ધ સ્કોલરશીપ એ ધોરણ 10 પછી આગળ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ ની છોકરી ને શિષ્યવૃતિ આપતી યોજના છે.
2. Bhagwan Budhdh Scholarship નો લાભ કોણ કોણ લઈ શકે ?
જવાબ : 1) માત્ર અનુસૂચિત જાતિની કન્યા વિદ્યાર્થીઓ જ પાત્ર છે. 2) ડિપ્લોમા સ્તરના અભ્યાસક્રમો માટે, ધોરણ 10 અથવા 12 માં પરીક્ષામાં 50% અથવા વધુ ટકાવારી હોવી જોઈએ. 3) સ્નાતક સ્તરના અભ્યાસક્રમો માટે, ધોરણ 12 માં પરીક્ષામાં 50% કે તેથી વધુ ટકાવારી હોવી જોઈએ. 4) ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માર્ગદર્શિકાની તમામ શરતો પૂર્ણપણે ભરવી આવશ્યક છે. 5) આવક મર્યાદા: 2.50 લાખથી વધુ.
3. ભગવાન બુદ્ધ સ્કોલરશીપ ના ફાયદા શું છે?
જવાબ : અનુસૂચિત જાતિ ની છોકરીઓને તેમના સંબંધિત અભ્યાસ મુજબ આર્થિક સહાય આપવામાં આવે છે.
4. Bhagwan Budhdh Scholarship માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જવાબ : 1) અરજદારોએ સત્તાવાર વેબસાઇટ https://www.digitalgujarat.gov.in ની મુલાકાત લો. 2) નવા અરજદારોએ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 3) નોંધણી સમયે, અરજદારોએ તેમનો મોબાઈલનંબર, ઈમેલ અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે. 4) તેની/તેણીની પ્રોફાઇલ અપડેટ કરો. 5) શિષ્યવૃત્તિ માટે અરજી કરવી.